- Table View
- List View
Shri Raman Maharshi
by Sri Keshavlal Shastri Vedantacharyaશ્રી રમણ મહર્ષિ એ નવજીવન દ્વારા પ્રકાશિત સંતવાણી ગ્રંથાવલિનું એકવીસમું પુસ્તક છે. સંતવાણી ગ્રંથાવલિ એ ભારતના મહાનુભાવોના જીવન અને વિચારને વાચક સુધી પહોંચાડવાનો નવજીવન ટ્રસ્ટનો નમ્ર પ્રયાસ છે.
Sadhu Vasvani
by Priyakant P Sukalaસાધુ વાસવાણી એ નવજીવન દ્વારા પ્રકાશિત સંતવાણી ગ્રંથાવલિનું ઓગણીસમું પુસ્તક છે. સંતવાણી ગ્રંથાવલિ એ ભારતના મહાનુભાવોના જીવન અને વિચારને વાચક સુધી પહોંચાડવાનો નવજીવન ટ્રસ્ટનો નમ્ર પ્રયાસ છે.
Sitaharan
by Chandrashankar Suklaરામાયણની કથા ઘણે કહેવાતી સાંભળી છે, રામાયણની કથાના સાર ઘણા જોયા છે, અને મૂળ રામાયણ તથા આધુનિક રામાયણો પણ ઘણાં જોયા છે, પણ તેમાંના એકેમાં ભાઈ ચંદ્રશંકરના રામાયણમાં જે ભૂમિકા રચીને કથા કહેવામાં આવી છે તે નથી. ગ્રહો અને નક્ષત્રો ધોળે દિવસે શોભતાં નથી. તેની ખરી શોભા પ્રગટ કરવા માટે આકાશનો દિનવર્ણો પટ કામ નથી આવતો. તેને માટે તો રજનીવર્ણા પટની આવશ્યકતા છે. આપણી કથાઓમાં રામજન્મથી જ આરંભ કરવામાં આવે છે. વાલ્મીકિમાં પણ રામજન્મથી જ આરંભ થાય છે, ત્યારે રામ, લક્ષ્મણ, ભરત અને સીતાની કથા દિનવર્ણા પટ ઉપર રજૂ થતી હોય એવું ભાસે છે. એ કથાનું શાંત નિર્મળ તેજ ભાઈ ચંદ્રશંકરે ચીતરેલા ત્રણ ભાઈઓના, બ્રાહ્મણ-ક્ષત્રિયોની અવનતિના, પૃથ્વીની પીડાના આછા અને ઘેરા રજનીવર્ણા પટ ઉપર કાંઈક અનેરી છટાથી પ્રગટ થાય છે. અને આ પુસ્તકની મોટામાં મોટી વિશેષતા એ જ છે.
Asapas Paryavaran Abhyas class 3 - GSTB: આસપાસ પર્યાવરણ અભ્યાસ ધોરણ ૩ - જીએસટીબી
by Rinku Sutharધોરણ ૩ પર્યાવરણ પાઠ્યપુસ્તકમાં ૨૫ પાઠ આપેલ છે અને છેલ્લે ફન પેજ પણ આપેલ છે.
Sangeet class 9 - GSTB: સંગીત ધોરણ ૯ - જીએસટીબી
by Kamlesh Swami Manubhai Shah Hemendra Bhojk Shri Prajapati Shri Rana Geeta Trivedi Jay Shindeધોરણ ૯ સંગીત પાઠ્યપુસ્તક માં ૧૦ પાઠ આપેલ છે અને ૨ સ્વાધ્યાય આપેલ છે.
Computer Darpan class 1 - GSTB: કમ્પ્યુટર દર્પણ ધોરણ ૧
by Tejas R. Thakkarઓપનસોર્સ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ આધારિત તેમજ ગુજરાત બોર્ડના કમ્પ્યૂટર વિષયને સંલગ્ન એકમાત્ર કમ્પ્યૂટર સિરીઝ.
Computer Darpan class 2 - GSTB: કમ્પ્યુટર દર્પણ ધોરણ ૨
by Tejas R. Thakkarઓપનસોર્સ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ આધારિત તેમજ ગુજરાત બોર્ડના કમ્પ્યૂટર વિષયને સંલગ્ન એકમાત્ર કમ્પ્યૂટર સિરીઝ.
Computer Darpan class 3 - GSTB: કમ્પ્યુટર દર્પણ ધોરણ ૩
by Tejas R. Thakkarઓપનસોર્સ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ આધારિત તેમજ ગુજરાત બોર્ડના કમ્પ્યૂટર વિષયને સંલગ્ન એકમાત્ર કમ્પ્યૂટર સિરીઝ.
Computer Darpan class 4 - GSTB: કમ્પ્યુટર દર્પણ ધોરણ ૪
by Tejas R. Thakkarઓપનસોર્સ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ આધારિત તેમજ ગુજરાત બોર્ડના કમ્પ્યૂટર વિષયને સંલગ્ન એકમાત્ર કમ્પ્યૂટર સિરીઝ.
Computer Darpan class 5 - GSTB: કમ્પ્યુટર દર્પણ ધોરણ ૫
by Tejas R. Thakkarઓપનસોર્સ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ આધારિત તેમજ ગુજરાત બોર્ડના કમ્પ્યૂટર વિષયને સંલગ્ન એકમાત્ર કમ્પ્યૂટર સિરીઝ.
Computer Darpan class 6 - GSTB: કમ્પ્યુટર દર્પણ ધોરણ ૬
by Tejas R. Thakkarઓપનસોર્સ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ આધારિત તેમજ ગુજરાત બોર્ડના કમ્પ્યૂટર વિષયને સંલગ્ન એકમાત્ર કમ્પ્યૂટર સિરીઝ.
Computer Darpan class 7 - GSTB: કમ્પ્યુટર દર્પણ ધોરણ ૭
by Tejas R. Thakkarઓપનસોર્સ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ આધારિત તેમજ ગુજરાત બોર્ડના કમ્પ્યૂટર વિષયને સંલગ્ન એકમાત્ર કમ્પ્યૂટર સિરીઝ.
Computer Darpan class 8 - GSTB: કમ્પ્યુટર દર્પણ ધોરણ ૮
by Tejas R. Thakkarઓપનસોર્સ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ આધારિત તેમજ ગુજરાત બોર્ડના કમ્પ્યૂટર વિષયને સંલગ્ન એકમાત્ર કમ્પ્યૂટર સિરીઝ.
Rashtravad
by Ravindranath Thakur૧૯૧૬ માં જાપાન અને અમેરિકાના પ્રવાસ દરમ્યાન રબીન્દ્રનાથ ટાગોરે આપેલાં પ્રવચનો.
Tolstoy Ni 23 Vartao
by Leo Tolstoyટૉલ્સ્ટૉયે આ ત્રેવીસ વાર્તાઓને પોતાનાં સર્વોત્તમ સર્જનોમાં ગણાવી છે. એ વાર્તાઓમાં માનવહ્રદયના ગંભીરતમ ભાવોનું એમણે અદ્ભુત કૌશલથી યથાતથ ચિત્રણ કર્યું છે. આ વાર્તાઓમાં માનવમાં વસતી શુભાશુભ લાગણીઓનું, માનવમનમાં મચી રહેતા દેવાસુર-સંગ્રામનું બયાન ટૉલ્સ્ટૉયે પોતાની અનુપમ વાણીમાં આપ્યું છે. ગુજરાત સરકાર તરફથી બાળસાહિત્યનાં પુસ્તકોને અપાતા પુરસ્કારમાં 1972માં આ પુસ્તકને દ્વિતીય પુરસ્કાર મળ્યો હતો.
Tyare Karishu Shu?
by Leo Tolstoyટોલ્સ્ટોયની ખ્યાતિ યુરોપમાં પ્રથમ પંક્તિની હતી. એની સાહિત્યકળા ઉપર યુરોપ વારી જતું. પણ જ્યારે ટોલ્સ્ટોયે નિષ્પાપ જીવન ગાળવાને અર્થે સર્વસ્વ છોડ્યું ત્યારે યુરોપમાં હાહાકાર થયો. નટ, વિટ અને ગણિકા જેવા છતાં પ્રતિષ્ઠિત થઈ બેઠેલા એવા લોકોને થયું કે કળાનો ઘાત થયો, ટોલ્સ્ટોયે કળાની મર્યાદા છોડી! સત્યમાં પ્રવેશ કર્યો! અરુટ લમૃઠ્ઠ મઘૃપજ્ઞટ્ર એ કળાનો સર્વોચ્ચ નિયમ એણે તોડ્યો! કળા એ જ જીવનસર્વસ્વ માનનારા ઇન્દ્રિયારામ લોકોને લાગ્યું કે ટોલ્સ્ટોય જીવનને બેવફા નીવડ્યો. પશુ સાથેની આપણી જે સમાનતા છે તે છોડીએ તો સંકુચિત જ થઈ જઈએ ના? પણ સાચા જીવનકળાધરોએ જોયું કે ટોલ્સ્ટોયને હાથે કળા કૃતાર્થ જ થઈ છે.
Anguliman
by Girjashankar Trivediઆ પુસ્તક દુનિયાના મુખ્ય મુખ્ય ધર્મોની બોધકથાઓ તોમ જ ધર્મગુરુઓ અને પયગંબરોનાં જીવનની સાચી ઘટનાઓને રજૂ કરતી સચિત્ર પુસ્તિકાઓ પ્રસિદ્ધ કરવાની યોજનાના ભાગ રૂપે હિંદુસ્તાની સાહિત્ય સભા અને નવજીવન ટ્રસ્ટે પ્રસિદ્ધ કરેલ ‘સહુને માટે સાહિત્ય’નો એક ભાગ છે. નવું વાંચતા સીખેલા આબાલવૃદ્ધ સહુ કોઈને આ પુસ્તિકાઓ વાંચવી ગમશે એવી અમને આશા છે. મુખ્ય હેતુ બાળકોમાં વિશ્વના પ્રાચીન વારસા અને જીવન મૂલ્યો સ્થાપિત થાય તે છે.આ વાતો ની રજૂઆતની ખૂબી એ છે કે તેમાં સીધો ઉપદેશ ક્યાંય નથી. જીવનના વ્યવહાર અને અનુભવોને વણી લેતી આ વાતો સહુ કોઈને સરળતાથી સમજાય અને યાદ રહી જાય તેવી છે. એટલે જ આ શ્રેણીને ‘સહુને માટે સાહિત્ય’નું નામ આપ્યુ છે.
Bapuna Ashramman
by Haribhau Upadyayઆ પુસ્તક ઇતિહાસનું કે ચરિત્રનું નથી. સંસ્મરણોનું છે અને એ લખતી વખતે ભગવાન કૃષ્ણ પ્રત્યે ગોપીઓના આ મામિર્ક અને સાર્થક વચને મને સદા પ્રેરણા આપી છે: तव कथामृतं तप्तजीवनं कविभिरीडितं कल्मषापहम्| श्रवणमडलं श्रीमदाततं भुवि गृणन्ति ते भूरिदा जना:|| હે વહાલા, તારી કથા તો અમૃતની ધારા છે. એ સંતાપમાં પડેલા જનોને જીવન, શાંતિ અને શીતળતા આપે છે. કવિઓએ એની ઘણી પ્રશંસા કરી છે. એ પાપનો નાશ કરનારી છે. એના શ્રવણથી મનુષ્યનું કલ્યાણ થાય છે. એ સમૃદ્ધ છે, અને નિત્ય છે. એથી જે કવિઓ એનું ગાન કરતા વિચરે છે, તેઓ જગતને એક અતિ કીમતી વસ્તુનું દાન કરે છે.
TRISHANKU: ત્રિશંકુ
by Desai V.આ નવલકથામાં દોરાયેલું ચિત્ર ઘણે અંશે વધુ અને વધુ વાસ્તવિક બનતું જાય છે અને એ જ કારણે આ નવલકથા લોકોમાં વધારે રસ જાગૃત કરે છે એમ લાગે છે.શ્રી ર.વ.દેસાઈ ની નવી સામાજિક નવલકથા ૨૬ પ્રકરણો માં આપેલ છે.
Blue Book 1: બ્લ્યુ બુક ૧
by Kaajal Oza Vaidyaઆ પુસ્તક’ બ્લ્યુ બુક’ કદાચ ગુજરાતી ભાષામાં થયેલો પહેલો પ્રયાસ છે. પ્રેમ અને ધિક્કાર સિવાય પણ પુરુષને એક નવા ચશમાથી જોઈ શકાય છે એવું મારા વાચક સુધી પહોંચાડવાનો નમ્ર પ્રયત્ન છે
Ekbijane Gamta Rahiye: એકબીજાને ગમતાં રહીએ
by Kaajal Oza Vaidyaઆ લેખો સુખની શોધમાં કદાચ તમારો નકશો બની શકે એવા ઉદ્દેશથી લખ્યા છે અને તે દ્વારા તમને’ સુખી’ થવાની નાની નાની ફોર્મ્યુલા આપવાનો પ્રયાસ છે.
Ek sanj ne sarname: એક સાંજને સરનામે
by Kajal Oza Vaidyaપ્રસ્તુત નવલકથા માં સાચો પ્રેમ કઈ ઉંમરે થાય? જે વ્યક્તિ હયાત ન હોય,એને યાદ કરીને તરફડવું એ વફાદારી છે?કે પછી,જિંદગીને ભરપૂર માણવી એનું નામ જિંદગી છે?પુનર્જન્મની જેમ પુનઃ પ્રેમ થતો હશે?મહેન્દ્રને આ સવાલ પૂછે છે એની જિંદગી!લીનાના મૃત્યુ પછી મહેન્દ્રના જીવનમાં પ્રવેશે છે રીમા અને,સર્જાય છે જાત સાથેનું દ્વંદ્વ ... સોનાલી અને દેવીના આપણી જિંદગીના ભાગ છે.આ સતત વિસ્તરતા પ્રવાસમાં ક્યાંકથી શરૂ કરીને ક્યાંક પહોંચવાના ઉદ્દેશથી લખાય છે એક પત્ર અને પોસ્ટ થઈ જાય છે”એક સાંજને સરનામે”.
Krushnayan: કૃષ્ણાયન: માણસ થઈને જીવેલા ઈશ્વરની વાત
by Kajal Oza Vaidyaકૃષ્ણના જીવનની ત્રણ સ્રીઓ। રાધા, રુકિમણી અને દ્રૌપદી પ્રેયસી, પત્ની અને મિત્ર।... માણસ થઈને જીવી ગયેલો ઈશ્વર સાથે પોતાનો મનની વાત કરે છે। અંગ્રેજી, મરાઠી,હિન્દી ભાષામાં અનુવાદિત થયેલી અને ગુજરાતીમાં પાંચ વર્ષમાં અગિયાર આવૃત્તિ જીવી ચુકેલી ધબકતી નવલકથા.