Browse Results

Showing 501 through 525 of 585 results

Sarvangi Shikshan class 7 - GSTB: સર્વાગી શિક્ષણ (શારીરિક શિક્ષણ, સંગીત અને ચિત્રકલા) ધોરણ 7 - જીએસટીબી

by Gstb

ધોરણ 7 સર્વાગી શિક્ષણ (શારીરિક શિક્ષણ, સંગીત અને ચિત્રકલા) વિષયનું પાઠ્યપુસ્તક છે જેમાં 38 પ્રકરણ આપેલ છે.

Sarvangi Shikshan class 8 - GSTB: સર્વાંગી શિક્ષણ ધોરણ ૮ - GSTB

by Gstb

પ્રસ્તુત પાઠ્યપુસ્તક ધોરણ ૮ નું સર્વાંગી શિક્ષણ વિષયનું છે જે ત્રણ વિભાગ માં છે શારીરિક શિક્ષણ, સંગીત, ચિત્રકલા જેમાં કુલ ૪૨ પ્રકરણ છે.

Sarvodaya

by M. K. Gandhi

સૉક્રેટિસે માણસને શું કરવું ઘટે છે તેનું થોડુંક દર્શન કરાવ્યું. તેણે જેવું કહ્યું તેવું જ કર્યું. તેના વિચારોનું લંબાણ એ રસ્કિનના વિચારો છે એમ કહી શકાય છે. સૉક્રેટિસના વિચારો પ્રમાણે ચાલવા ઇચ્છનાર માણસે જુદા જુદા ધંધામાં કેમ વર્તવું જોઈએ તે રસ્કિને આબેહૂબ રીતે બતાવી આપ્યું છે. તેના લખાણનો અમે જે સાર આપીએ છીએ તે તરજુમો નથી. તરજુમો આપતાં, કેટલાક બાઇબલ વગેરેમાંથી આપેલા દાખલાઓ વાંચનાર ન સમજી શકે એવો સંભવ છે. તેથી અમે રસ્કિનના લખાણનો સાર જ આપ્યો છે. તે પુસ્તકના નામનો પણ અમે અર્થ નથી આપ્યો, કેમ કે તે જેણે અંગ્રેજીમાં બાઇબલ વાંચ્યું હોય તે જ સમજી શકે. પણ પુસ્તક લખવાનો હેતુ સર્વનું કલ્યાણ—સર્વનો ઉદય (માત્ર વધારેનો નહીં)—એવો હોવાથી અમે આ લખાણને ‘સર્વોદય’ એવું નામ આપ્યું છે.

Sati Savitri

by Shreepad Joshi

આ પુસ્તક દુનિયાના મુખ્ય મુખ્ય ધર્મોની બોધકથાઓ તોમ જ ધર્મગુરુઓ અને પયગંબરોનાં જીવનની સાચી ઘટનાઓને રજૂ કરતી સચિત્ર પુસ્તિકાઓ પ્રસિદ્ધ કરવાની યોજનાના ભાગ રૂપે હિંદુસ્તાની સાહિત્ય સભા અને નવજીવન ટ્રસ્ટે પ્રસિદ્ધ કરેલ ‘સહુને માટે સાહિત્ય’નો એક ભાગ છે. નવું વાંચતા સીખેલા આબાલવૃદ્ધ સહુ કોઈને આ પુસ્તિકાઓ વાંચવી ગમશે એવી અમને આશા છે. મુખ્ય હેતુ બાળકોમાં વિશ્વના પ્રાચીન વારસા અને જીવન મૂલ્યો સ્થાપિત થાય તે છે.આ વાતો ની રજૂઆતની ખૂબી એ છે કે તેમાં સીધો ઉપદેશ ક્યાંય નથી. જીવનના વ્યવહાર અને અનુભવોને વણી લેતી આ વાતો સહુ કોઈને સરળતાથી સમજાય અને યાદ રહી જાય તેવી છે. એટલે જ આ શ્રેણીને ‘સહુને માટે સાહિત્ય’નું નામ આપ્યુ છે.

Satya Asatya Na Rahasyo: સત્ય અસત્યના રહસ્યો

by Dada Bhagwan

ઘણા લોકો શું સાચું છે અને શું નથી, શું ખરું છે અને શું ખોટું છે તે સમજવા મથે છે. શું ખરું છે અને શું ખોટું છે એનો ફરક સમજવામાં સતત મુંઝવણ થાય છે. પરમ પૂજ્ય દાદાશ્રી, જ્ઞાની પુરુષના કહેવા પ્રમાણે સંસારમાં ત્રણ જાતના સત્ય છે. એક ત્રિકાળ સત્ય બીજું રીલેટીવ સત્ય અને ત્રીજું અસત્ય. આ પુસ્તકમાં, પરમ પૂજ્ય દાદાશ્રીએ ત્રિકાળ સત્ય અને રીલેટીવ સત્યના અર્થની ચર્ચા કરી છે. ત્રિકાળ સત્ય, જેનો ક્યારેય નાશ થતો નથી; તે અનંત છે. તે આત્મા માટે છે. તમે શુદ્ધાત્મા છો તેનું ભાન થવું તે ત્રિકાળ સત્ય (સત્) છે. આ અંતિમ સત્ય છે. રીલેટીવ સત્ય એ લોકોનું માનેલું કે ઠરાવેલું સત્ય છે; જે એક વ્યક્તિના દ્રષ્ટિકોણથી સત્ય છે તે બીજી વ્યક્તિના દ્રષ્ટિકોણથી સત્ય ન પણ હોય. રીલેટીવ સત્ય વ્યક્તિએ, વ્યક્તિએ બદલાઈ શકે. રીલેટીવ સત્ય એ રીલેટીવ જગત માં પ્રગતિ કરવા માટે મદદ કરી શકે, પરંતુ રીયલ પ્રગતિ માટે પરમ સત્ય જરૂરી છે. આ પુસ્તકમાં પરમ પૂજ્ય દાદાશ્રીના પરમ અને રીલેટીવ સત્યના સત્સંગો વાંચો અને સત્ય, અસત્ય અને સત્ નાં સ્વરૂપ વિષેની તમારી મુંઝવણ દૂર કરો. આવી સમજણ મુક્તિના પંથે આગળ વધવામાં મદદ કરશે.

Satya Ej Ishwar Chhe

by Mahatma Gandhi

પોતાના જીવનનાં પુખ્તમાં પુખ્ત ગણાય એવાં ત્રીસ વરસના ગાળા દરમ્યાન વિવિધ પ્રસંગોએ ગાંધીજીને પોતાના હૃદયમાંથી સચોટ રીતે બોલતા અગર લખતા આ પુસ્તકમાં વાચક જોશે. અનેક મોટી મોટી સિદ્ધિઓ મેળવનાર એક આધુનિક જમાનાના પુરુષે ઈશ્વર તેમ જ ધર્મના વિષયમાં જે કંઈ વિચાર્યું તે બધું આજના કપરા કાળમાં ભણેલાંગણેલાં સ્ત્રીપુરુષોને પોતાની કેળવણીને માટે ઉપયોગી થયા વિના નહીં રહે... આપણા રાષ્ટ્રપિતા કેવા પ્રકારના પુરુષવિશેષ હતા તે સમજવા માગનારે આ પુસ્તક વાંચવું જાઈએ. આપણાં શાસ્ત્રોમાં અથવા બીજા ધર્મગ્રંથોમાં નવ હોય એવું ધર્મ વિશેનું કંઈ પણ શીકવાની કોઈને ઈચ્છા ન હોય એમ બને. પણ જેમને ચાહતા હતા અને આપણું રાષ્ટ્ર જેમનું ઋણી છે એવા અને વિરલ મહાપુરુષના માનસના એક પાસાનું આપણને અહીં દર્શન થાય છે.

Satyagrahashram no Itihas

by Gandhiji

સત્યાગ્રહાશ્રમ એ આધુનિક ભારતનો એક અદ્ભુત ધાર્મિક-સામાજિક પ્રયોગ છે. રાજનીતિ અને અર્થનીતિ બંનેમાં ક્રાંતિ કરનારો છે. એનું સાચું અને વિગતવાર બયાન દુનિયા આગળ આવવું જ જોઈએ.

Satyana Prayogo athva Atmakatha

by Mahatma Gandhi

ગાંધીજીની આત્મકથા 'સત્ય ના પ્રયોગો' એ વિશ્વમાં સૌથી વધુ વેચાયેલ અને વંચાયેલ આત્મકથાઓમાંની એક છે. નવજીવન ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત આ પુસ્તકની અત્યાર સુધીમાં છ લાખ થી વધુ નકલો વેચાઇ ચુકી છે. તદુપરાંત અંગ્રેજી અને હિન્દી સહિત તેર ભારતીય ભાષાઓમાં પ્રકાશિત આ પુસ્તક ગાંધી-વિચાર સમજવામાં પાયાના પત્થર જેવું કામ કરે છે. નવજીવન ટ્રસ્ટ દ્વારા તેની ઇ-બુક ડિસ્કાઉંટ સાથે ઇ-શબ્દ પર...

Seva Paropakar: સેવા પરોપકાર

by Dada Bhagwan

આની પાછળનું ગહન વિજ્ઞાન એ છે કે જયારે કોઈ પોતાના મન, વચન, અને કાયા બીજાને મદદ કરવા માટે વાપરે છે ત્યારે તેની પાસે બધું જ હશે; તેને કદી ભૌતિક સવલત અને સાંસારિક સુખોની કમી નહિ થાય. પરોપકારી સ્વભાવથી ધર્મની શરૂઆત થાય છે. તમે બીજાને માટે કંઈ પણ કરો તેજ ક્ષણથી સુખની શરૂઆત થાય છે. મનુષ્ય ભવનો હેતુ ભવોભવના બંધનને તોડી અને કર્મોના બંધનથી શાશ્વત મુક્તિ ( મોક્ષ ) મેળવવાનો છે. તેનો હેતુ સંપૂર્ણ થવાનો છે,- પૂર્ણ જ્ઞાની થવાનો છે; આત્મજ્ઞાન મેળવવાનો છે. અને જો આત્મજ્ઞાન મેળવવાની તક ના મળે તો જીવન બીજા માટે જીવવું. પોતાને જે ભેગો થાય તેને સુખ આપવાનું પરમ પૂજ્ય દાદાશ્રીના જીવનનું મુખ્ય લક્ષ્ય હતું. તેમણે પોતાના સુખનો કદી વિચાર જ કર્યો ન હતો. બીજા લોકોના દુઃખો કેમ હળવા થાય તેના ઉપાયો તેઓ કરતાં. તેથી જ કરુણા અને અસામાન્ય દૈવી ગુણોવાળું અધ્યાત્મ જ્ઞાન “અક્રમ વિજ્ઞાન” તેમની અંદર પ્રગટ થયું. બીજાને મદદ કરી સુખી થવાની, યથાર્થ સમજણ મેળવવા વાંચો....

Shantino Dost

by Deepa Agarwal

Find out who is shanti's secret friend in this beautiful story.

Sheth Jindas

by Veena Shah

આ પુસ્તક દુનિયાના મુખ્ય મુખ્ય ધર્મોની બોધકથાઓ તોમ જ ધર્મગુરુઓ અને પયગંબરોનાં જીવનની સાચી ઘટનાઓને રજૂ કરતી સચિત્ર પુસ્તિકાઓ પ્રસિદ્ધ કરવાની યોજનાના ભાગ રૂપે હિંદુસ્તાની સાહિત્ય સભા અને નવજીવન ટ્રસ્ટે પ્રસિદ્ધ કરેલ ‘સહુને માટે સાહિત્ય’નો એક ભાગ છે. નવું વાંચતા સીખેલા આબાલવૃદ્ધ સહુ કોઈને આ પુસ્તિકાઓ વાંચવી ગમશે એવી અમને આશા છે. મુખ્ય હેતુ બાળકોમાં વિશ્વના પ્રાચીન વારસા અને જીવન મૂલ્યો સ્થાપિત થાય તે છે.આ વાતો ની રજૂઆતની ખૂબી એ છે કે તેમાં સીધો ઉપદેશ ક્યાંય નથી. જીવનના વ્યવહાર અને અનુભવોને વણી લેતી આ વાતો સહુ કોઈને સરળતાથી સમજાય અને યાદ રહી જાય તેવી છે. એટલે જ આ શ્રેણીને ‘સહુને માટે સાહિત્ય’નું નામ આપ્યુ છે.

Shreyarthini Sadhana

by Narhari Dwarakadas Parikh

"મરહૂમ કિશોરલાલભાઈ મરનારાંની પાછળ તેમનાં સ્મારકો, જીવનચરિત્રો વગેરે કરવાની વિરુદ્ધ હતા. મરણ પૂર્વે થોડાં વર્ષ અગાઉ ‘મરણવિધિ’ નામના એમના એક લેખે જબ્બર પ્રસિદ્ધિ મેળવેલી. પણ એમના અવસાન પછી આ જીવનચરિત્ર લખાવા અંગેની ચર્ચામાં એક શ્રદ્ધેય મુરબ્બીની દલીલે ચુસ્ત વલણવાળા મિત્રોને નિરુત્તર કર્યા?: ‘પોતાના દેશકાળ અને સમકાલીન સમાજને પોતાના પ્રખર વિચારબળ, અવિરત કર્મયોગ અને નિર્મળ ચારિત્ર્યગુણોથી પ્રભાવિત કરનાર વ્યક્તિઓ અને વિભૂતિઓનાં જીવનચરિત્રો ન લખવાં તો શું વ્યસની, દુરાચારી, સટોડિયા, કાળાબજારિયા કે સિનેમા સ્ટારનાં જ ચરિત્રો લખીલખાવીને પ્રજાને ઉચે ચડાવવાની આશા રાખવી?” આ પછી સ્વર્ગસ્થના નિકટતમ મિત્ર અને જીવનભરના સાથી શ્રી નરહરિભાઈએ આ ચરિત્ર લખવાનું માથે લીધું. ... *** આ ગ્રંથરૂપે શ્રી નરહરિભાઈએ કરેલા ચરિત્રનિરૂપણ વિશે તેમ જ તેની રચના વિશે લખવાની ધૃષ્ટતા ન કરું. એમના જેવા સમત્વશીલ અને નિકટતમ સાથીએ જાતે અપંગ છતાં અત્યંત પ્રેમ અને ભાવથી આવડો પરિશ્રમ ખેડીને આ ચરિત્ર લખવાનું માથે લીધું અને શુષ્ક લેખાતા વિષયોની રજૂઆતમાં પણ classic (ક્લાસિક)નો દરજ્જો પામેલી એમની અનેક ગ્રંથરચનાઓમાં એક નિર્મળ શાંત classic (ક્લાસિક)નો ઉમેરો કર્યો એથી વધુ અનુરૂપ અને સોહામણું બીજું શું હોઈ શકે? જે યોગ્યતાપૂર્વક કિશોરલાલભાઈએ ગાંધીજીની પાછળ ‘હરિજન’ પત્રોનું સંપાદન કર્યું તે જ યોગ્યતાપૂર્વક નરહરિભાઈએ ચરિત્રગ્રંથનું નિર્માણ કર્યું છે. —સ્વામી આનંદ"

Shri Punit Maharaj

by Pra Jaykrushna N Trivedi

શ્રી પુનિત મહારાજ એ નવજીવન દ્વારા પ્રકાશિત સંતવાણી ગ્રંથાવલિનું પચ્ચીસ પુસ્તક છે. સંતવાણી ગ્રંથાવલિ એ ભારતના મહાનુભાવોના જીવન અને વિચારને વાચક સુધી પહોંચાડવાનો નવજીવન ટ્રસ્ટનો નમ્ર પ્રયાસ છે.

Shri Raman Maharshi

by Sri Keshavlal Shastri Vedantacharya

શ્રી રમણ મહર્ષિ એ નવજીવન દ્વારા પ્રકાશિત સંતવાણી ગ્રંથાવલિનું એકવીસમું પુસ્તક છે. સંતવાણી ગ્રંથાવલિ એ ભારતના મહાનુભાવોના જીવન અને વિચારને વાચક સુધી પહોંચાડવાનો નવજીવન ટ્રસ્ટનો નમ્ર પ્રયાસ છે.

Shri Ranchhoddasji Maharaj

by Damayanti Valji Sejpal

શ્રી રણછોડદાસજી મહારાજ એ નવજીવન દ્વારા પ્રકાશિત સંતવાણી ગ્રંથાવલિનું ત્રેવીસમું પુસ્તક છે. સંતવાણી ગ્રંથાવલિ એ ભારતના મહાનુભાવોના જીવન અને વિચારને વાચક સુધી પહોંચાડવાનો નવજીવન ટ્રસ્ટનો નમ્ર પ્રયાસ છે.

Shri Rang Avadhut

by Jayantilal Acharya

શ્રી રંગઅવધૂત એ નવજીવન દ્વારા પ્રકાશિત સંતવાણી ગ્રંથાવલિનું ચોવીસમું પુસ્તક છે. સંતવાણી ગ્રંથાવલિ એ ભારતના મહાનુભાવોના જીવન અને વિચારને વાચક સુધી પહોંચાડવાનો નવજીવન ટ્રસ્ટનો નમ્ર પ્રયાસ છે.

Shri Swami Ramdas (Kanhangad-Kerala)

by Shri Maganlal Pandya

શ્રી સ્વામી રામદાસ (કનહનગઢ-કેરાલા) એ નવજીવન દ્વારા પ્રકાશિત સંતવાણી ગ્રંથાવલિનું સોળમું પુસ્તક છે. સંતવાણી ગ્રંથાવલિ એ ભારતના મહાનુભાવોના જીવન અને વિચારને વાચક સુધી પહોંચાડવાનો નવજીવન ટ્રસ્ટનો નમ્ર પ્રયાસ છે.

Shrimad Rajchandra

by Shrimati Taruben Aacharya

શ્રીમદ્ રાજચંદ્ર એ નવજીવન દ્વારા પ્રકાશિત સંતવાણી ગ્રંથાવલિનું અઢારમું પુસ્તક છે. સંતવાણી ગ્રંથાવલિ એ ભારતના મહાનુભાવોના જીવન અને વિચારને વાચક સુધી પહોંચાડવાનો નવજીવન ટ્રસ્ટનો નમ્ર પ્રયાસ છે.

Shriramkrishna Paramhansa

by Shri Swami Adhyatmanand Sarswati

શ્રીરામકૃષ્ણ પરમહંસ એ નવજીવન દ્વારા પ્રકાશિત સંતવાણી ગ્રંથાવલિનું દ્વિતીય પુસ્તક છે. સંતવાણી ગ્રંથાવલિ એ ભારતના મહાનુભાવોના જીવન અને વિચારને વાચક સુધી પહોંચાડવાનો નવજીવન ટ્રસ્ટનો નમ્ર પ્રયાસ છે.

Sitaharan

by Chandrashankar Sukla

રામાયણની કથા ઘણે કહેવાતી સાંભળી છે, રામાયણની કથાના સાર ઘણા જોયા છે, અને મૂળ રામાયણ તથા આધુનિક રામાયણો પણ ઘણાં જોયા છે, પણ તેમાંના એકેમાં ભાઈ ચંદ્રશંકરના રામાયણમાં જે ભૂમિકા રચીને કથા કહેવામાં આવી છે તે નથી. ગ્રહો અને નક્ષત્રો ધોળે દિવસે શોભતાં નથી. તેની ખરી શોભા પ્રગટ કરવા માટે આકાશનો દિનવર્ણો પટ કામ નથી આવતો. તેને માટે તો રજનીવર્ણા પટની આવશ્યકતા છે. આપણી કથાઓમાં રામજન્મથી જ આરંભ કરવામાં આવે છે. વાલ્મીકિમાં પણ રામજન્મથી જ આરંભ થાય છે, ત્યારે રામ, લક્ષ્મણ, ભરત અને સીતાની કથા દિનવર્ણા પટ ઉપર રજૂ થતી હોય એવું ભાસે છે. એ કથાનું શાંત નિર્મળ તેજ ભાઈ ચંદ્રશંકરે ચીતરેલા ત્રણ ભાઈઓના, બ્રાહ્મણ-ક્ષત્રિયોની અવનતિના, પૃથ્વીની પીડાના આછા અને ઘેરા રજનીવર્ણા પટ ઉપર કાંઈક અનેરી છટાથી પ્રગટ થાય છે. અને આ પુસ્તકની મોટામાં મોટી વિશેષતા એ જ છે.

Siyalani Savarno Tadako Semester 1 - Kutch University Guidebook: શિયાળાની સવારનો તડકો સેમિસ્ટર ૧ - કચ્છ યુનિવર્સિટી ગાઈડબુક

by Vadilal Dagli

આ પુસ્તક ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના જૂન: 2016 - 17 થી અમલમાં આવેલા નવા અભ્યાસક્રમ (CBCS) અનુસાર પ્રથમ વર્ષ બી.એ. ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે.

Stories of Rasadhara Part-1: રસાધારાની વાર્તાઓ ભાગ-૧

by Zahverchand Meghani

પ્રસ્તુત વાર્તા સંગ્રહમાં ઝવેરચંદ મેઘાણીએ આપણાં લોકજીવનને, સંસ્કૃતિને અને મૂલ્યોને દર્શાવતી અનેક કૃતિઓ અહિયાં રચેલી છે

Stories of Rasadhara Part-2: રસાધારાની વાર્તાઓ ભાગ-૨

by Zahverchand Meghani

પ્રસ્તુત વાર્તા સંગ્રહમાં ઝવેરચંદ મેઘાણીએ આપણાં લોકજીવનને, સંસ્કૃતિને અને મૂલ્યોને દર્શાવતી અનેક કૃતિઓ અહિયાં રચેલી છે.

Strio ane Strijivan ni Samasyao

by Mahatma Gandhi

ગાંધીજીમાં સ્ત્રીનું હૃદય હતું. તેથી સ્ત્રીઓ પોતાના દિલની વાત વિના સંકોચે તેમને કહી શકતી હતી. ગાંધીજીમાં હિંદની સ્ત્રીઓએ પોતાના સાથી અને તારણહારનાં દર્શન કર્યાં છે. સ્ત્રીઓનો આવો અખૂટ વિશ્વાસ સંપાદન કરવાથી ગાંધીજી તેમની પાસેથી મહાન કામો કરાવી શક્યા. સ્ત્રીપુરુષના સંબંધો વિશે કંઈક વિચિત્ર અને ચોખલિયા વિચારો હિંદુ સમાજમાં તે કાળે પ્રવર્તતા હતા. ગાંધીજીએ તેમાં ક્રાન્તિકારી ફેરફારો કર્યા. પવિત્ર અને તંદુરસ્ત વાતાવરણમાં તેઓ કેમ રહી શકે, સમાનતા અને સ્વતંત્રતા કેવી રીતે જાળવી શકે, અને સ્વચ્છ અને પવિત્ર સામાજિક જીવન કેવું હોય તેનું ઉત્તમ દૃષ્ટાંત આશ્રમ જીવન દ્વારા ગાંધીજીએ રાષ્ટ્રને ચરણે ધરીને સ્ત્રીઆલમની ઉત્તમ સેવા કરી છે. ગાંધીજી પાસે સ્ત્રીનું —માતાનું હૃદય હતું. તેથી જ એક સત્યનિષ્ઠ અને લોકોત્તર સમાજસેવક તરીકે તેમણે સ્ત્રીઓને દોરવણી આપી. ગાંધીજીનાં આ લખાણોનો સંગ્રહ ગુજરાત અને ખાસ કરીને ગુજરાતની સ્ત્રીઓ વધાવશે એવા વિશ્વાસ સાથે તે ગુજરાતની પ્રજા સમક્ષ રજૂ કરું છું.

Sukhi Rajkumar

by Vandana Bhartiya

આ પુસ્તક દુનિયાના મુખ્ય મુખ્ય ધર્મોની બોધકથાઓ તોમ જ ધર્મગુરુઓ અને પયગંબરોનાં જીવનની સાચી ઘટનાઓને રજૂ કરતી સચિત્ર પુસ્તિકાઓ પ્રસિદ્ધ કરવાની યોજનાના ભાગ રૂપે હિંદુસ્તાની સાહિત્ય સભા અને નવજીવન ટ્રસ્ટે પ્રસિદ્ધ કરેલ ‘સહુને માટે સાહિત્ય’નો એક ભાગ છે. નવું વાંચતા સીખેલા આબાલવૃદ્ધ સહુ કોઈને આ પુસ્તિકાઓ વાંચવી ગમશે એવી અમને આશા છે. મુખ્ય હેતુ બાળકોમાં વિશ્વના પ્રાચીન વારસા અને જીવન મૂલ્યો સ્થાપિત થાય તે છે.આ વાતો ની રજૂઆતની ખૂબી એ છે કે તેમાં સીધો ઉપદેશ ક્યાંય નથી. જીવનના વ્યવહાર અને અનુભવોને વણી લેતી આ વાતો સહુ કોઈને સરળતાથી સમજાય અને યાદ રહી જાય તેવી છે. એટલે જ આ શ્રેણીને ‘સહુને માટે સાહિત્ય’નું નામ આપ્યુ છે.

Refine Search

Showing 501 through 525 of 585 results