- Table View
- List View
Swami Shivananda Saraswati
by Shivanand Adhrvyuસ્વામી શિવાનંદ સરસ્વતી (હૃષીકેશ) એ નવજીવન દ્વારા પ્રકાશિત સંતવાણી ગ્રંથાવલિનું સત્તાવીસમું પુસ્તક છે. સંતવાણી ગ્રંથાવલિ એ ભારતના મહાનુભાવોના જીવન અને વિચારને વાચક સુધી પહોંચાડવાનો નવજીવન ટ્રસ્ટનો નમ્ર પ્રયાસ છે.
Swami Vivekananda
by Shri Swami Adhyatmanand Sarswatiસ્વામી વિવેકાનંદ એ નવજીવન દ્વારા પ્રકાશિત સંતવાણી ગ્રંથાવલિનું તૃતીય પુસ્તક છે. સંતવાણી ગ્રંથાવલિ એ ભારતના મહાનુભાવોના જીવન અને વિચારને વાચક સુધી પહોંચાડવાનો નવજીવન ટ્રસ્ટનો નમ્ર પ્રયાસ છે.
Tatvagyan class 11 - GSTB: તત્વજ્ઞાન ધોરણ ૧૧ - જીએસટીબી
by Shri Mehta Mukundbhai Dave Shobhanabhan Shah Raja Dave Shri Rawalપ્રસ્તુત પાઠ્યપુસ્તક માં 10 પાઠ આપેલ છે અને 10 સ્વાધ્યાય આપેલ છે સાથે ૪૦ મનોયત્ન પણ આપેલ છે.
Tolstoy Ni 23 Vartao
by Leo Tolstoyટૉલ્સ્ટૉયે આ ત્રેવીસ વાર્તાઓને પોતાનાં સર્વોત્તમ સર્જનોમાં ગણાવી છે. એ વાર્તાઓમાં માનવહ્રદયના ગંભીરતમ ભાવોનું એમણે અદ્ભુત કૌશલથી યથાતથ ચિત્રણ કર્યું છે. આ વાર્તાઓમાં માનવમાં વસતી શુભાશુભ લાગણીઓનું, માનવમનમાં મચી રહેતા દેવાસુર-સંગ્રામનું બયાન ટૉલ્સ્ટૉયે પોતાની અનુપમ વાણીમાં આપ્યું છે. ગુજરાત સરકાર તરફથી બાળસાહિત્યનાં પુસ્તકોને અપાતા પુરસ્કારમાં 1972માં આ પુસ્તકને દ્વિતીય પુરસ્કાર મળ્યો હતો.
Tran Sadhuo
by Unus Aagaskarઆ પુસ્તક દુનિયાના મુખ્ય મુખ્ય ધર્મોની બોધકથાઓ તોમ જ ધર્મગુરુઓ અને પયગંબરોનાં જીવનની સાચી ઘટનાઓને રજૂ કરતી સચિત્ર પુસ્તિકાઓ પ્રસિદ્ધ કરવાની યોજનાના ભાગ રૂપે હિંદુસ્તાની સાહિત્ય સભા અને નવજીવન ટ્રસ્ટે પ્રસિદ્ધ કરેલ ‘સહુને માટે સાહિત્ય’નો એક ભાગ છે. નવું વાંચતા સીખેલા આબાલવૃદ્ધ સહુ કોઈને આ પુસ્તિકાઓ વાંચવી ગમશે એવી અમને આશા છે. મુખ્ય હેતુ બાળકોમાં વિશ્વના પ્રાચીન વારસા અને જીવન મૂલ્યો સ્થાપિત થાય તે છે.આ વાતો ની રજૂઆતની ખૂબી એ છે કે તેમાં સીધો ઉપદેશ ક્યાંય નથી. જીવનના વ્યવહાર અને અનુભવોને વણી લેતી આ વાતો સહુ કોઈને સરળતાથી સમજાય અને યાદ રહી જાય તેવી છે. એટલે જ આ શ્રેણીને ‘સહુને માટે સાહિત્ય’નું નામ આપ્યુ છે.
Trimantra: ત્રિમંત્ર
by Dada Bhagwanલોકો ધર્મ માં ‘મારું’ અને ‘તારું’ માટે ઝઘડે છે. આવા ઝઘડાને દૂર રાખવા માટે આ ત્રિમંત્ર છે. જયારે ત્રિમંત્રનો મૂળ અર્થ સમજાશે ત્યારે, ખ્યાલ આવશે કે આ મંત્ર કોઈ એક ધર્મ અથવા ગચ્છ, અથવા સંપ્રદાય માટે અલાયદો નથી. ત્રિમંત્ર માંના નમસ્કાર જેમણે સર્વોચ્ચ જાગૃતિ મેળવી છે તેમને બધાને છે, જેમણે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું છે, ત્યાંથી શરુ કરીને જેમણે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને જેમણે અંતિમ મુક્તિ, મોક્ષ પ્રાપ્ત કર્યો છે તેમને પણ છે. આવા નમસ્કારથી જીવનના અંતરાય દૂર થાય છે, મુશ્કેલીઓમાં પણ શાંતિ લાગે છે અને મોક્ષના લક્ષ તરફ ડગલાં મંડાય છે. જ્ઞાની પુરુષ દાદાશ્રીએ આપણને ત્રિમંત્ર આપ્યો છે. આ મંત્ર સંપૂર્ણપણે નિષ્પક્ષપાતી છે. તેઓ આપણને સંપૂર્ણ જાગૃતિ સાથે સવારે અને રાત્રે એ પાંચ પાંચ વખત બોલવા કહે છે. જો તમને બહુ સમસ્યા હોય તો એક કલાક બોલશો તો તમે જોશો કે તમારી સમસ્યાઓ ઘણી બધી ઓછી થઇ જશે. આ મંત્રમાં બધી મુશ્કેલીઓ ઓછી કરવાની શક્તિ છે. તે પહાડ જેવી મુશ્કેલીને ઢગલી જેવી કરી શકે છે! જેઓ આ મંત્ર પૂરી સમજણ સાથે બોલે છે તેમને તે કઈ રીતે ઉંચે ચડાવે છે તે પરમ પૂજ્ય દાદાશ્રી સમજાવે છે. તમે જાતે રટણ કરો અને અનુભવોકે કેમ મુશ્કેલીઓ કેવીરીતે ઓછી થાય છે.
TRISHANKU: ત્રિશંકુ
by Desai V.આ નવલકથામાં દોરાયેલું ચિત્ર ઘણે અંશે વધુ અને વધુ વાસ્તવિક બનતું જાય છે અને એ જ કારણે આ નવલકથા લોકોમાં વધારે રસ જાગૃત કરે છે એમ લાગે છે.શ્રી ર.વ.દેસાઈ ની નવી સામાજિક નવલકથા ૨૬ પ્રકરણો માં આપેલ છે.
Tyare Karishu Shu?
by Leo Tolstoyટોલ્સ્ટોયની ખ્યાતિ યુરોપમાં પ્રથમ પંક્તિની હતી. એની સાહિત્યકળા ઉપર યુરોપ વારી જતું. પણ જ્યારે ટોલ્સ્ટોયે નિષ્પાપ જીવન ગાળવાને અર્થે સર્વસ્વ છોડ્યું ત્યારે યુરોપમાં હાહાકાર થયો. નટ, વિટ અને ગણિકા જેવા છતાં પ્રતિષ્ઠિત થઈ બેઠેલા એવા લોકોને થયું કે કળાનો ઘાત થયો, ટોલ્સ્ટોયે કળાની મર્યાદા છોડી! સત્યમાં પ્રવેશ કર્યો! અરુટ લમૃઠ્ઠ મઘૃપજ્ઞટ્ર એ કળાનો સર્વોચ્ચ નિયમ એણે તોડ્યો! કળા એ જ જીવનસર્વસ્વ માનનારા ઇન્દ્રિયારામ લોકોને લાગ્યું કે ટોલ્સ્ટોય જીવનને બેવફા નીવડ્યો. પશુ સાથેની આપણી જે સમાનતા છે તે છોડીએ તો સંકુચિત જ થઈ જઈએ ના? પણ સાચા જીવનકળાધરોએ જોયું કે ટોલ્સ્ટોયને હાથે કળા કૃતાર્થ જ થઈ છે.
Vaani No Siddhant (Granth): વાણીનો સિધ્ધાંત(ગ્રંથ)
by Dada Bhagwanસવારે જાગ્યા ત્યાંથી સૂતાં સુધી અવિરત વાણીનો વ્યવહાર દરેકને ચાલતો જ હોય છે ! અરે ઊંઘમાં ય કેટલાંક બબડતા હોય છે !!! વાણીનો વ્યવહાર બે રીતે પરિણમતો હોય છે. કડવો યા તો મીઠો ! ઘણી વખત, આપણાથી એવું બોલાઈ જાય છે જે આપણે ઈચ્છતા નહોતા અને પછી તેનો પસ્તાવો કરીએ છીએ. પ્રસ્તુત પુસ્તકમાં જ્ઞાની પુરુષ, દાદાશ્રીએ વાણીના સૂક્ષ્મમાં સૂક્ષ્મ અને સૈદ્ધાંતિક ફોડની જબરદસ્ત સમજણ આપી છે. દાદાશ્રી વાણીના સૂક્ષ્મમાં સૂક્ષ્મ સૈદ્ધાંતિક ફોડથી માંડીને દૈનિક વ્યવહાર જીવનમાં પતિ-પત્ની વચ્ચે, મા-બાપ છોકરાં વચ્ચે, નોકર- શેઠ વચ્ચે, જે વાણી વપરાય છે, તે કેવી સમ્યક્ પ્રકારે હોવી જોઈએ કે કોઈને દુઃખ ન થાય, તેના પ્રેક્ટીકલ દાખલાઓ આપી સુંદર સમાધાન કરાવે છે. સાથે સાથે દાદાશ્રી કોઈના તરફથી આવતી કડવી (કટુ) વાણી સામે સમતાથી કેવીરીતે વર્તવું તેનો ઉકેલ આપે છે. પ્રસ્તુત પુસ્તક વાચકને વાણીથી ઉત્પન્ન થતી અથડામણો અને એમાં કઈ રીતે સમાધાનકારી ઉકેલ લાવવાં? તેમ જ પોતાની કડવી વાણી, આઘાતી વાણી હોય, તો તેને કઈ સમજણે ફેરફાર કરવો? તેનું માર્ગદર્શન આપે છે. (પ્રસ્તુત પુસ્તકનું વાંચન) વાચક ઘર અને બહારનાં બધાં જ વ્યવહારોમાં (સંબંધોમાં) પોતે કેવીરીતે કલેશ રહિત બનવું તે શીખી શકે છે.
Vani Vyavahar (Sanxipt): વાણી વ્યવહાર (સંક્ષિપ્ત)
by Dada Bhagwanશબ્દો પૈસા સમાન છે.એક એક ગણીને પૈસાની જેમ તેનો ઉપયોગ કરો. પરમ પૂજ્ય દાદાશ્રી વાણીને લગતા મૂળભૂત અને સુક્ષ્મ સિદ્ધાંતોની ઊંડી સમજ આપે છે. આપણા મિત્રો અને કુટુંબીજનો સાથેની આપણી વાણી કેમ શુદ્ધ કરવી કે જેથી કોઈને દુઃખ ન થાય, તેના વ્યવહારુ ઉકેલો તેઓ આપે છે. પરમ પૂજ્ય દાદાશ્રી કુશળતાથી, જુદા જુદા દાખલાઓ સાથે એવી આપે છે જેથી વાચકને એવું લાગે છે મારા જ જીવનની વાતો છે. તેમના ઉકેલો સીધા હ્રદયને સ્પર્શે છે અને મુક્તિ ભણી લઇ જાય છે. પરમ પૂજ્ય દાદાશ્રીએ વાણીનું ખરું સ્વરૂપ ખુલ્લું કર્યું છે. વાણી જડ છે. તે એક રેકોર્ડ છે. જયારે તમે ટેપ વગાડો છો ત્યારે તે ટેપ પહેલાં રેકોર્ડ કરેલી હોવી જોઈએ, ખરું ને? તેવી જ રીતે, તમારી આખી જિંદગીની વાણીની ટેપ ગયા ભવમાં રેકોર્ડ થયેલી છે અને આ ભવ માં તે ફક્ત વાગી રહી છે. જેમ રેકોર્ડ ઉપર પીન મુકતાં તે વાગવા માંડે છે, તેવી જ રીતે જેવા સંજોગો ભેગા થશે કે તેવી તમારી વાણીની રેકોર્ડ વાગવા માંડશે. વાણીનું વિજ્ઞાન સમજવા માટે આગળ વાંચો....
Vanijya Patravyavhar Ane Secretarial Practice Apexit Prashnasanghra (2023) class 12 - GSTB: વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરિયલ પ્રેક્ટિસ અપેક્ષિત પ્રશ્નસંગ્રહો (૨૦૨૩) ધોરણ ૧૨
by Navneetવાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરિયલ પ્રેક્ટિસ અપેક્ષિત પ્રશ્નસંગ્રહો (2023) - ધોરણ 12.
Vanya Pranishrusti
by Kanaiyalal Ramanujઆ પુસ્તકમાં પ્રાણીજગતનાં થોડાં પ્રાણીઓની સુરેખ આપવા મેં પ્રયત્ન કર્યો છે. હું કોઈ પ્રાણીનિષ્ણાત નથી. જે ક્ષતિઓ હોય તે અત્યારે વાચકો ક્ષમય ગણશે. ગુજરાતી સાહિત્યમાં આવું પ્રથમ પુસ્તક હોઈ, વાચક વર્ગ આવકારશે તેવી મને ખાતરી છે. - કનૈયાલાલ રામાનુજ
Varshik Val Kapavavano Diwas
by Rohini Nilekani 'Noni'Sringeri Srinivas had very long hair. He wanted it cut on Annual Haircut Day. Everyone was busy. You will never guess who helped him that day! Read and enjoy!
Vartaman Tirthankar Shri Simandhar Swami: વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામી
by Dada Bhagwanશાસ્ત્રો કહે છે કે આજે આ કાળમાં આપણા આ જગત માંથી સીધા મોક્ષે જવું શક્ય નથી, છતાંપણ હંમેશને માટે લાંબા કાળથી વાયા મહાવિદેહ ક્ષેત્ર ( બીજા ક્ષેત્ર નું જગત ) રસ્તો ખુલ્લો જ છે. તે માટે મહાવિદેહ ક્ષેત્રે જઇ જીવતા તીર્થંકર શ્રી સીમંધર સ્વામીના દર્શન કરવાથી અંતિમ મોક્ષ મળે છે. દાદાશ્રીએ બધા મુક્તિના ઇચ્છુકોને (મુમુક્ષુઓને) પહેલાં આત્મજ્ઞાન આપ્યુંને પછી તેઓ બધા અંતરની પાક્કી ખાતરી સાથે મહાવિદેહના પંથે ચડ્યા છે. આ ધરતી પર આ કાળમાં કોઈ જીવતા તીર્થંકર નથી, પરંતુ અત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકર શ્રી સીમંધર સ્વામી જીવે છે. સીમંધર સ્વામી આ પૃથ્વીના મુમુક્ષુઓને મોક્ષ આપી શકે છે. જ્ઞાનીઓએ આ રસ્તો ફરી ખુલ્લો કર્યો છે અને તેઓ મુમુક્ષુઓને આ રસ્તે મોકલી રહ્યા છે. જીવતા તીર્થંકરને ઓળખી, તેમની પ્રત્યેનો સમર્પણ ભાવ જાગૃત કરી, દિવસ અને રાત તેમની ભક્તિ કરી, તેમની સાથે અનુસંધાન કરી અને અંતે તેમના પ્રત્યક્ષ દર્શન કરી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષે જવાય છે એમ જ્ઞાનીઓ કહે છે. જેમ જેમ સીમંધર સ્વામી પ્રત્યે સમર્પણભાવ વધશે, તેમ તેમ તેમની સાથેનું જોડાણ વધતું જશે અને આ જોડાણથી તેમની સાથે આવતા ભવનું ઋણાનુબંધ બંધાશે. અંતે આ ગાઢ બનેલું ઋણાનુબંધ ભગવાનના ચરણો સુધી પહોંચાડશે અને મોક્ષે લઇ જશે.
Vicharo ane Dhanvan Bano: વિચારો અને ધનવાન બનો: પ્રેરણાત્મક ક્લાસિક વિચારો
by Napoleon Hillઆ પુસ્તકમાં ધનવાન થવાના એવા રહસ્યો છે જે તમારા જીવનને બદલી નાખશે. ‘વિચારો અને ધનવાન બનો’ પુસ્તક મહાન લેખક નેપોલિયન હિલના 'Law of Success' પર આધારીત છે. એમાં અખૂટ સંપત્તિ અને સિદ્ધિ મેળવનારા પ્રખ્યાત વ્યક્તિઓના શાણપણનો નિચોડ સમાવેલ છે. વિશ્વના અગ્રગણ્ય ચિંતક અને વિદ્વાન એન્ડ્રયુ કાર્નેગી, થોમસ વોટસન અને એલેકઝાંડર ગ્રેહામ બેલની સિદ્ધિઓનો ઝીણવટભર્યો અભ્યાસ હિલે બહુ નાની ઉંમરે કર્યો હતો. હિલને આ પુસ્તકની પ્રેરણા એન્ડ્રયુ કાર્નેગીના - સફળતાના જાદુઈ સૂત્ર’ પરથી મળેલ છે. કાર્નેગીએ પોતાના જાદુઈ સૂત્રો જે યુવાનોને શીખવ્યા તે બધા યુવાનો ધનવાન બની ગયા, જેનાથી તે સૂત્રો અસરકારક છે તેવું સાબિત થયું. આ પુસ્તક આપને કાર્નેગીના જાદુઈ સૂત્રો અને મહાન લોકો ધનવાન કેવી રીતે બન્યા તે શીખવશે. ધનવાન બનવા માટે આ પુસ્તક ‘શું કરવું’ અને ‘તે કેવી રીતે કરવું’ તે પણ શીખવશે. જો તમે આ પુસ્તકમાં જણાવેલ સરળ મૂળભૂત પદ્ધતિઓ શીખીને તેનો અમલ કરશો તો તમે હકીકતમાં સફળ અને ધનવાન બનશો અને જીવનમાં જે પણ ઇચ્છતા હશો તે મેળવી શકશો.
Vignan class 8 - GSTB: વિજ્ઞાન ધોરણ 8
by Gujrat Rajya Pathyapustak Mandalઆ ધોરણ 8 ની વિજ્ઞાન વિષયનું પાઠ્યપુસ્તક છે.
Vigyan class 10 - GSTB: વિજ્ઞાન ધોરણ ૧૦ - જીએસટીબી
by Shri Nitin D. Dave Mr Mayur M. Rawal Dr Hardik A Amiઆ પાઠ્ય પુસ્તકનો અનુવાદ તથા તેની સમીક્ષા નિષ્ણાત પ્રાધ્યાપકો અને શિક્ષકો પાસે કરાવવામાં આવ્યા છે અને સમીક્ષકોનાં સૂચનો અનુસાર હરતપ્રતમાં યોગ્ય સુધારા - વધારા કર્યા પછી આ પાઠયપુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જેમાં ૧૬ પ્રકરણ અને સ્વાધ્યાય આપેલ છે.
Vigyan class 6 - GSTB: વિજ્ઞાન ધોરણ ૬ - જીએસટીબી
by Gstbપ્રસ્તુત પાઠ્યપુસ્તક ધોરણ - ૬ના વિજ્ઞાન વિષયનું છે જેમાં ૧૬ પ્રકરણ સ્વાધ્યાય સાથે આપેલ છે.
Vigyan class 7 - GSTB: વિજ્ઞાન ધોરણ ૭ - જીએસટીબી
by Gstbઆ પાઠ્ય પુસ્તકનો અનુવાદ તથા તેની સમીક્ષા નિષ્ણાત પ્રાધ્યાપકો અને શિક્ષકો પાસે કરાવવામાં આવ્યા છે અને સમીક્ષકોનાં સૂચનો અનુસાર હરતપ્રતમાં યોગ્ય સુધારા - વધારા કર્યા પછી આ પાઠયપુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જેમાં ૧૮ પ્રકરણ આપેલ છે.
Vigyan class 9 - GSTB: વિજ્ઞાન ધોરણ ૯ - જીએસટીબી
by Gstbપ્રસ્તુત પાઠ્યપુસ્તક ધોરણ ૯ ના વિજ્ઞાન વિષય નું છે, જેમાં ૧૫ પ્રકરણ આપેલ છે.
Visrati Virasat
by James Hiltonજેમ્સ હિલ્ટનની વિખ્યાત નવલકથા લોસ્ટ હોરાઇઝન?ની પાર્શ્વભૂમિ ‘શાંગ્રીલા’ સર્વત્ર આધ્યાત્મિક આનંદના પ્રતીક તરીકે જાણીતી થઈ છે. આ કથાનો પ્રકાર પ્રવાસકથા અને રોમાન્સનો છે, પણ ગૌતમ—બુદ્ધના સુવર્ણમધ્યનું તત્ત્વજ્ઞાન—દર્શન એમાં સર્વત્ર વ્યાપેલું છે. મને આશા છે કે વાચક મિત્રોને આ વાર્તા રુચશે અને સદાને માટે યાદ રહી જશે.