- Table View
- List View
Pratah Smaranika ane Stotro: પ્રાત સ્મરણિકા અને સ્તોત્રો
by Shri Vaijanathaસોમવાર થી રવિવાર સુધી ના બધાજ પ્રાતઃ સ્મરણિકા અને સ્તોત્રો આપેલ છે.
Pujya Shri Mota
by Ku Kashmirabahen Vaziraniપૂજ્ય શ્રીમોટા એ નવજીવન દ્વારા પ્રકાશિત સંતવાણી ગ્રંથાવલિનું વીસમું પુસ્તક છે. સંતવાણી ગ્રંથાવલિ એ ભારતના મહાનુભાવોના જીવન અને વિચારને વાચક સુધી પહોંચાડવાનો નવજીવન ટ્રસ્ટનો નમ્ર પ્રયાસ છે.
Ek Patangiyane Pakho Aavi: એક,પતંગિયાને પાંખો આવી (વ્રજેશ દવે “વેદ”)
by Vrajesh Dave “ved”૨૩ પ્રકરણમાં લખાયેલ કૃતિ બહુજ રોમાંચક છે.
Maharshi Dayanand
by Dilip Vedalakarમહર્ષિ દયાનંદ એ નવજીવન દ્વારા પ્રકાશિત સંતવાણી ગ્રંથાવલિનું સત્તરમું પુસ્તક છે. સંતવાણી ગ્રંથાવલિ એ ભારતના મહાનુભાવોના જીવન અને વિચારને વાચક સુધી પહોંચાડવાનો નવજીવન ટ્રસ્ટનો નમ્ર પ્રયાસ છે.
Bapune 10 Anjali
by Amrutlal Vegadબાપુના જીવન સંબંધી વિશાળ સાહિત્ય-મંદિરમાં, કંઈક લજ્જા અને કંઈક સંકોચ સાથે, ભાઈ અમૃતલાલ પણ એમનો લઘુ પૂજાથાળ લાવ્યા છે. એની સાથે ન તો ઘંટા-ઝાલરનો ઘનઘોર ઘટાટોપ છે, ન સ્તવ-સ્તોત્રોનો સીમાહીન સંભાર. બસ નાનોશો — કદાચ માટીનો બનેલો — થાળ છે, થોડીશી દિવેટો, જેમાં પૂજારીની અન્તર્મુખી દૃષ્ટિનો સ્નિગ્ધ પ્રકાશ છે. અમૃતલાલ વ્યવસાયે શિલ્પી છે, એટલે રંગ-રૂપ-રેખાઓના પેલા આંતરિક વિરહ-મિલનનો ભેદ તેઓ જાણે છે, સુરુચિ અને સહૃદયતાના રસથી શિલ્પી જેને ભીંજવે છે. એટલે જ એમને સંતુલન સુલભ છે, અને સુષમા પણ. સ્વભાવથી અમૃતલાલ સાધક છે, એટલે મંગલની કલ્પના એમને અનુપ્રેરિત કરે છે. એમની શૈલી આમ શિલ્પીની સૂઝ અને સાધકની બૂજનાં તત્ત્વોથી આપોઆપ ઘડાઈ ઊઠી છે. બાપુ જો કેવળ સંગ્રહાલયમાં સજાવીને રાખવાની વસ્તુ ન હોય, તો અમૃતલાલની આ રચનાઓ આપને જરૂર ગમશે. — મોહનલાલ બાજપેયી